કચ્છની ઇમામી એગ્રોટેક કંપનીમાં ટાંકી સાફ કરતાં શ્વાસ રૂંધાવાથી 5 શ્રમિકોના મોત

કચ્છની ઇમામી એગ્રોટેક કંપનીમાં ટાંકી સાફ કરતાં શ્વાસ રૂંધાવાથી 5 શ્રમિકોના મોત

કચ્છની ઇમામી એગ્રોટેક કંપનીમાં ટાંકી સાફ કરતાં શ્વાસ રૂંધાવાથી 5 શ્રમિકોના મોત

Blog Article

ગુજરાતના કચ્છ જિલ્લામાં બુધવારે વહેલી સવારે એક એગ્રોટેક કંપનીમાં કાદવની ટાંકી સાફ કરતી વખતે શ્વાસ રૂંધાવાને કારણે પાંચ કામદારોના મોત થયા હતાં. આ તમામ આશરે 30 વર્ષની ઉંમરના હતાં.

કચ્છ (પૂર્વ)ના પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું હતું કે કામદારો કંપનીના એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઈ કરી રહ્યા હતાં ત્યારે આ ઘટના સવારે 1 વાગ્યાની આસપાસ બની હતી. એક શ્રમિક કાદવ કાઢવા માટે ટાંકીમાં પ્રવેશ્યો, ત્યારે તે બેભાન થઈ ગયો હતો. અન્ય બે કામદારો તેને બચાવવા ટાંકીમાં ગયા હતાં, પરંતુ તેઓ પણ બેહોશ થઈ ગયા હતા. તેનાથી બે વધુ બે કામદારો પ્રવેશ્યા હતાં અને પાંચેયના મોત થયા હતાં.

કંડલા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માત ખાદ્ય તેલ અને બાયોડીઝલના ઉત્પાદનમાં સંકળાયેલી કંપની ‘ઈમામી એગ્રોટેક’માં થયો હતો. પોલીસે પીડિતોની ઓળખ સિદ્ધાર્થ તિવારી, અજમત ખાન, આશિષ ગુપ્તા, આશિષ કુમાર અને સંજય ઠાકુર તરીકે કરી છે.

Report this page